new

શિક્ષણવિભાગ નાં વાર્કશોપ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શિક્ષણ વિભાગના વર્કશોપમાં ઉપસ્થિત રહી. વર્કશોપમાં જિલ્લાઓના શિક્ષણ અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની ગુણોત્સવ સહિતની પહેલ ઉપર ચર્ચાવિમર્શ થયો. ગુણોત્સવમાં થયેલા પ્રાથમિક શાળાઓના મૂલ્યાંકનને કારણે ઘણી શાળાઓનો ગ્રેડ સુધર્યો છે. જેનો ગ્રેડ સુધર્યો નથી ત્યાં શિક્ષકો, આચાર્ય, બ્લોક રીસોર્સ કોઓર્ડિનેટર, ક્લસ્ટર રીસોર્સ કોઓર્ડિનેટર સહિત સૌ કોઈ પૂરી લગનથી વ્યક્તિગત રસ લઈને શાળાનું શિક્ષણકાર્ય વધુ ગુણવત્તાસભર બનાવવાનો પ્રયાસ કરે તો ગ્રેડ ચોક્કસ સુધરે. પ્રાથમિક શાળાથી લઈને કોલેજો સુધી સમગ્ર શૈક્ષણિક તંત્ર વચ્ચે સંવાદિતાથી પરસ્પર મદદરૂપ થવાય તે રીતે કામ કરવામાં આવે તેવો મારો આગ્રહ રહ્યો. ગુજરાતમાં આજે દેશભરમાં સૌથી વધુ મૂડીરોકાણ આવી રહ્યું છે ત્યારે કોલેજોમાં કાઉન્સેલિંગ દ્વારા યુવાનો આ અવસરનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકે તે જોવાનો અનુરોધ કર્યો. શિક્ષણ વિભાગ અંતર્ગત આ વર્ષમાં હાથ ધરવામાં આવનારા વિવિધ કાર્યો માટેના આદેશપત્રનું વિતરણ આ પ્રસંગે કર્યું.

Post a Comment

0 Comments