ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવશે. આગામી વર્ષે 26 જાન્યુઆરીએ સચિનને ભારત રત્નથી નવાજવામાં આવશે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝ મુજબ સચિનને આ સન્માન આપવામા આવશે.
સચિને ભારત રત્ન પોતાની માતાને સમર્પિત કર્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ માંગ થઇ રહી હતી. પણ સરકાર આ મામલે નિર્ણય નહોતી લઇ શકતી પણ આખરે સરકારે સચિનની નિવૃતીના દિવસે સચિનને ભારત રત્નથી નવાજવાનો નિર્ણય કર્યો. ભારત રત્ન મેળવનાર સચિન પ્રથમ ખેલાડી છે.
0 Comments