new

સચિનને એનાયત કરાશે ભારત રત્ન, બન્યો આ ખિતાબ મેળવનારો પહેલો ભારતીય ખેલાડી


ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવશે. આગામી વર્ષે 26 જાન્યુઆરીએ સચિનને ભારત રત્નથી નવાજવામાં આવશે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝ મુજબ સચિનને આ સન્માન આપવામા આવશે.

સચિને ભારત રત્ન પોતાની માતાને સમર્પિત કર્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ માંગ થઇ રહી હતી. પણ સરકાર આ મામલે નિર્ણય નહોતી લઇ શકતી પણ આખરે સરકારે સચિનની નિવૃતીના દિવસે સચિનને ભારત રત્નથી નવાજવાનો નિર્ણય કર્યો. ભારત રત્ન મેળવનાર સચિન પ્રથમ ખેલાડી છે.

Post a Comment

0 Comments