૧લી સપ્ટેમ્બરનાં રોજ રાજ્યભરમાંટેટ-૨પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સામાજીક વિજ્ઞાન, ભાષા તથા વિજ્ઞાન
પ્રવાહનાંઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં૭૫-૭૫ પ્રશ્નો વિકલ્પીક સીટમાં પુછવામાં આવ્યા હતા. જો કે આ પરીક્ષામાં
પુછવામાંઆવેલા પ્રશ્નોમાંથી કેટલાક વિકલ્પો ખોટા થતા બંધબેસતા ન હોવાની ફરીયાદ પરીક્ષા આપનારઉમેદવારો દ્વારા ઉઠવા પામી છે
. જેના પગલે પરીક્ષા બોર્ડનીગાઇડ લાઇન પ્રમાણે ૬૦થી ૭૦ જેટલા ઉમેદવારો ભુલવાળા પ્રશ્નોનાં પુરાવા સાથે રજુઆત કરવા
ગાંધીનગર સેકટર ૨૧ની રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી ખાતે આવી પહોચ્યા હતા.રાજ્ય પરીક્ષા બોર્ડનાં સચિવ ત્રિવેદીસાહેબએ આ
અંગે જણાવ્યુ હતુંકે વેબસાઇડ પર મુકવામાં આવેલી જવાબવહી કામ ચલાઉ છે.ઉમેદવારો તરફથી મળેલી ભુલોની રજુઆતોને
સ્વીકારી તે અંગે કમીટી નિર્ણય લેશે. જેમાં જે પ્રશ્નો ખોટા અથવા ભુલવાળા હશે તેમાં ઉમેદવારોનાં હિતમાં નિર્ણય લેવાશે.
આગામી દશદિવસમાં આ અંગેનો નિર્ણય લઇને સંપુર્ણ સાચી જવાબવહી વેબસાઇટ પર મુકવામાં આવશે
તેથી મિત્રો ચિંતા કરવા ની કોઈ જરૂર નથી આજે ગણેશ ચોથ છે.ગણપતિ બાપા બધું જ સારું કરશે અને મોજથી લાડુ જમો ........