અમદાવાદ, 14 સપ્ટેમ્બરગોવા ખાતેની ભાજપની રાષ્ટ્રીય કારોબારીથી શરૂ થયેલા ભાજપ પુરાણના અધ્યાયો પુરા થયા છે. દેશના લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવેલા નરેન્દ્ર મોદીના હાથમાં હવે 2014ના લોકસભા ચૂંટણીની કમાન સોંપાઇ છે ત્યારે
- નજર કરીએ મોદીની વિકાસયાત્રા પર.
RSSમાં પાયાના કાર્યકર અને પ્રચારક
નરેન્દ્ર દામોદરદાસ મોદી એટલે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બરા ૧૯૫૦ના રોજ વડનગર ખાતે થયો હતો વિદ્યાર્થી કાળથી જ તેઓ રાજનીતિમાં રસ લેતા હતાં. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પાયાના કાર્યકર અને પ્રચારક તરીકે મહત્વની કામગીરી તેમણે સંભાળી હતી.૧૯૭૪માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં સક્રિય ભુમિકા તેમણે ભજવી હતી.